My name is Rekha Sindhal. I have been residing in USA since 1989. I have Bachelor’s Degree in Microbiology and Education from India. I am a former science and math teacher in India. I have worked as a research assistant in pediatric cardiology for Vanderbilt University, Nashville. Currently I offer one on one tutorial for Math. I am heavily involved in community service for Indian organizations here in USA. My hobbies are reading, writing, teaching, and solving mathematical puzzles. I have been married since 1975 and am a proud mother of three daughters and a grandmother of four grandsons.
It is hard to say about myself. Where to begin? In introducing a fragment from one of the many pieces of existence. According to Oprah Winfrey (if you think about writing when you get up in the morning every day then you’re a writer), I’m a writer but not a professional writer. Sometimes I try to write poetry as well but I can’t claim to be a poet.
Certificates I earned are: Bachelor in Microbiology (1975), Bachelor in Education (1981) and Master in Literature (2011). I worked as a mathematics and science teacher in India.(1982-1989). In USA, I worked as a research assistant at Vanderbilt Medical Center and worked as a medical technologist in the for many years with full time family responsibilities of the mother of three daughters and duty to serve my husband in the kitchen of an Indian wife… ..and amidst all these joys, I have always enjoyed reading and writing through the words of the world. I have been constantly striving to provide voluntary services in social organizations. Leadership is woven in nature but still has to find a way to lead the world in the direction of unconditional love for one and other.
Now that the flow of energy is coming down, the support of the pen and paper is needed and in this endeavor, the journey will be much more enjoyable if I can share my joy with many friends. It has been thirty years (in 2019) since I left the country. I am currently living in the state of Tennessee, USA. I was born in the town name Veraval near Somanath Temple in India on the first of March 1956 and I wish death in the United States as I have now made this land my home.
It would have been difficult to continue writing without the help of a long time great friend (and now well known writer) Nilam Doshi. In what form mother Saraswati gives her blessings and the life starts playing music again is unbelievable incidence. Nilam and I met again 35 years later after we were departed from collage. I am delighted to start this blog with her help. I pray for blessings of mother Saraswati.🙏
I would like to invite you to attend ‘Shri Ratilal Chandaria Memorial Award’ event on 13th January 2015 at Gujarat Vishwa Kosh Trust, Usmanpura, Ahmedabad.
Event time : 5.30 to 7.00
We would like to request you to provide your confirmation on “info@gujaratilexicon.com” which help us to register your name for the event.
Feel free to ask if you have any queries or doubts
Thank you,
Gujaratilexicon
http://www.gujaratilexicon.com/
Gujarati Bhasha ne Videshma jivti rakhta tamara jeva sau savaya gujaratione mara pranam. Hu Mumbai Samacharno patrakar ane lekkhak hovane nate tamari bhasha ane varnan vanchi ne kahi saku chhu ke jo tame lakhvana kshetra ma rahya hot toye ghana safal that.
Anyway, pls carry on your valueable service to our society.
Wish you all the best.
Rajendra Waghela
Thank you for your kind wrods Rajendrabhai, they are encouraging.
શ્રી રતિલાલ ચંદરયા સ્મૃતિપર્વ ઉજવણી નિમિત્તે પ્રતિભાશોધ સ્પર્ધાઓ
ગુજરાતી ભાષાને પોતાનું સર્વસ્વ અર્પણ કરનાર અને ગુજરાતી ભાષાના પ્રચાર–પ્રસાર અને સંવર્ધનને પોતાની જિંદગીનું એક માત્ર ધ્યેય માનનાર હૃદયસ્થ શ્રી રતિલાલ ચંદરયાની 13 ઑક્ટોબરના રોજ પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ છે. વિજયાદશમીને દિને જન્મેલા અને વિજયાદશમીના દિને જ ચિર વિદાય લેનારા રતિકાકા ગુજરાતીલેક્સિકન થકી લોકોના અંતરમનમાં સદાય જીવંત છે. રતિકાકાએ જીવનનો અમૂલ્ય – 25 વર્ષ કરતાં વધુ – સમય આ પ્રકલ્પ પાછળ આપ્યો છે. તેમની પ્રથમ પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરતાં ગુજરાતીલેક્સિકન પરિવાર તથા સમગ્ર ભાષાપ્રેમીઓ ખૂબ જ આદર, સન્માન અને અહોભાવની ભાવના વહાવે છે.
તેમના સ્મૃતિપર્વ નિમિત્તે ગુજરાતીલેક્સિકન દ્વારા ગુજરાતી ભાષા સાહિત્યના પ્રચાર–પ્રસાર તથા ગુજરાતી ભાષાના પ્રતિભાશાળી સર્જકોને બિરદાવવા માટે બે પ્રકારની પ્રતિભાશોધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે.
(1) નિબંધલેખન સ્પર્ધા
(2) નવલિકા (ટૂંકી વાર્તા).
આ સ્પર્ધાની વિગતો નીચે મુજબ છે :
પ્રતિભાશોધ સ્પર્ધા: 1
નિબંધલેખન : આશરે 1500થી 1700 શબ્દોમાં
નિબંધલેખનના વિષયો
ગુજરાતી ભાષાનું ભવિષ્ય ભાષાની આજ અને આવતી કાલચાલો, ભાષાનું ગૌરવ વધારીએ આપણી ભાષા – આપણી સંસ્કૃતિ આપણે અને આપણી માતૃભાષા ગૌરવવંતા ભાષાવીરો પ્રથમ ઇનામઃ 25,000 રૂપિયાદ્વિતીય ઇનામઃ 15,000 રૂપિયા
પ્રતિભાશોધ સ્પર્ધા : 2
નવલિકા (ટૂંકી વાર્તા) : આશરે 1700થી 2000 શબ્દોમાં
પ્રથમ ઇનામઃ 25,000 રૂપિયાદ્વિતીય ઇનામઃ 15,000 રૂપિયા
કૃતિ મોકલવાની અંતિમ તારીખ : 30 નવેમ્બર 2014
કૃતિ મોકલવાનું સ્થળ અને સરનામું :
303 – એ, આદિત્ય આર્કેડ,
ચોઇસ રેસ્ટોરાં પાસે, સ્વસ્તિક ચાર રસ્તા, નવરંગપુરા, અમદાવાદ–380 009 ગુજરાત, ભારત.
ફોન : +91-79-4004 9325
ઇ–મેઇલ : info@gujaratilexicon.com
પરિણામ જાહેર થવાની તારીખ : 13 જાન્યુઆરી 2015
સ્પર્ધાના સામાન્ય નિયમોઃ
આ સ્પર્ધાઓ માટે વયમર્યાદા નથી. રસ ધરાવતા દરેક ગુજરાતી સાહિત્યપ્રેમી મિત્ર ભાગ લઈ શકે છે. દરેક સ્પર્ધક એક જ કૃતિ મોકલી શકશે અને એ રચના ‘અગાઉ ક્યાંય પ્રકાશિત થઈ નથી’ તેવું લખાણ સાથે બીડવું જરૂરી રહેશે. રજૂ કરેલ કૃતિ મૌલિક હોવી જોઈએ. જો કૃતિ અન્ય કોઈની નકલ કરેલી માલૂમ પડશે તો તે કૃતિ સ્પર્ધામાંથી રદબાતલ કરવામાં આવશે.
કૃતિ – ‘સાર્થજોડણી’ના નિયમો પ્રમાણેની હોવી જોઈએ તથા નિશ્ચિત સમયમર્યાદામાં સૉફ્ટ કૉપીમાં કે હાર્ડકૉપીમાં મળેલી કૃતિઓ સ્પર્ધા માટે માન્ય ગણાશે. (જો રચના ઇમેઇલ દ્વારા મોકલવામાં આવે તો તે વર્ડ ફોર્મેટમાં જ મોકલવાની રહેશે)
કૃતિ મોકલનારે પોતાનું પૂરું નામ, પીનકોડ સાથેનું સરનામું, ઇમેઇલ આઈડી, સંપર્ક નંબર વગેરે લખીને, પોતાના પાસપોર્ટ સાઈઝના એક ફોટા સાથે કૃતિ મોકલવાની રહેશે. અધૂરી વિગત કે અપૂરતી માહિતીવાળી કૃતિ માન્ય ગણાશે નહીં.
સ્પર્ધાનાં પરિણામો અને વિજેતા અંગેનો આખરી નિર્ણય અમારી નિર્ણાયક સમિતિને હસ્તક રહેશે જેને દરેક સ્પર્ધકે માન્ય રાખવાનો રહેશે.
દરેક સ્પર્ધામાં બે વિજેતાઓ જાહેર કરવામાં આવશે.
કોઈ કારણસર જો સ્પર્ધાની મુદતમાં લંબાણ થાય કે કદાચ બંધ પણ રહે તો તેના સર્વ હક્કો આયોજકો પાસે અબાધિત રહેશે.
namaste rekhaben(Mother)
hu tamne nathi olakhto ke nathi janto. pan tamara blogni mulakat lidhi ane tamara vishe vanchyu tya tamari upar lagani thai aavi. khabar nai pan ghano asmanjas manma ubho thayo chhe. je shabdoma vyakt nathi thato. jayre thase tyare kais.
jai shree krishna
Ravi
*ગુજરાતીલેક્સિકોન હવે નૂતન રૂપરંગમાં…!*
વિશ્વના 110થી વધુ દેશમાં વપરાતી અને લોકચાહના પામેલી ગુજરાતીલેક્સિકોન
વેબસાઇટ આજે તેનો નવો અવતાર રજૂ કરતાં આનંદ અનુભવે છે. પરિવર્તન એ પ્રકૃતિનો
નિયમ છે અને આજના બદલાતા જતા ટેક્નોલૉજીના યુગમાં હંમેશાં નવીનતમ ટેક્નોલૉજી
સાથે કદમથી કદમ મિલાવવા જરૂરી છે. લોકચાહના, ઉપયોગિતા અને આધુનિક પરિવેશને
ધ્યાનમાં રાખીને આજે ગુજરાતીલેક્સિકોન વેબસાઇટની આકર્ષક, સરળ, સુગમ અને વધુ
ઉપયોગી નૂતન આવૃત્તિની રજૂઆત કરવામાં આવી છે.
*નવીન રૂપરંગ પામેલી ગુજરાતીલેક્સિકોન.કોમ વેબસાઇટની મુખ્ય વિશેષતાઓ : *
* વપરાશમાટે સરળ નવો લેઆઉટ :* ગુજરાતીલેક્સિકોનની નવી ડિઝાઇન દ્વારા અમે
વપરાશકર્તાને વેબસાઇટના બધા જ વિભાગો અને બધી જ લાક્ષણિકતાઓ ઓછા સમયમાં અને
ઓછી ક્લિકની મદદથી ઉપલબ્ધ કરાવવાનો પ્રયત્ન કર્યો છે.
* નયનરમ્ય કલર-કૉમ્બિનેશન અને આકર્ષક લોગો :* ગુજરાતીલેક્સિકોનનો નવો લોગો
બનાવવા અંગ્રેજી મૂળાક્ષરો G અને L નો ઉપયોગ કરવામાં આવ્યો છે અને તે દ્વારા
ગુજરાતી મૂળાક્ષર ‘અ’ નો આકાર આપવામાં આવ્યો છે. આ દ્વારા વિવિધ ભાષાઓ અને
વિભિન્ન સંસ્કૃતિઓ વચ્ચે સમન્વય સાધવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ દ્વારા
ગુજરાતીલેક્સિકોનની એક નવી ઓળખ પ્રસ્થાપિત કરવાનો એક પ્રયત્ન કરવામાં આવ્યો
છે.
* વિશિષ્ટ શબ્દકોશો : ગુજરાતીલેક્સિકોન વિવિધ શબ્દકોશોને સમાવતો એક માત્ર
ઓનલાઇન સ્રોત છે. સમયાંતરે તેમાં વિવિધ શબ્દકોશોનું ઉમેરણ થતું રહે છે.
ગુજરાતીલેક્સિકોનની વેબસાઇટના રૂપરંગના બદલાવ સાથે તેમાં મરાઠી – ગુજરાતી
શબ્દકોશનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે જેથી હવે ભાષાપ્રેમીઓને મરાઠી ભાષા
શીખવી સરળ બની જશે.
* નવી રૂપરેખાના ફાયદા : *ગુજરાતીલેક્સિકોનની નવી રૂપરેખા અમને અમારા
વપરાશકર્તાઓને વધુ સારી વેબસાઇટ ઉપલબ્ધ કરાવી આપવાની એક તક આપે છે. વેબસાઇટ
ઉપર નોંધણી કરાવીને તમે તમારા મનગમતા શબ્દોની યાદી બનાવી શકો છો તથા તમારા
મિત્રો સાથે તે શબ્દો ફેસબુક, ટ્વિટર વગેરે માધ્યમ થકી વહેંચી શકો છો અને
તેમનું પણ શબ્દભંડોળ વધારી શકો છો.
ગુજરાતીલેક્સિકોનના સ્થાપક અમર શ્રી રતિલાલ ચંદરયા હંમેશાં કહેતા કે,
“ગુજરાતીભાષા માટેનું ગુજરાતીલેક્સિકોનનું યોગદાન વણથંભ્યું રહ્યું છે અને
રહેશે. ભાષાપ્રેમીઓને હંમેશાં અમે કંઈક નવું આપતા રહ્યા છીએ અને સદા આપતા
રહીશું.” ગુજરાતીલેક્સિકોન ટીમ રતિકાકાનાં આ વચનોને સાર્થક કરવા હંમેશાં
કટિબદ્ધ છે.
ગુજરાતીલેક્સિકોનના સલાહકાર શ્રી અશોક કરણિયા આ પ્રસંગે જણાવે
છે,”ગુજરાતીલેક્સિકોનનું લોકાર્પણ 13 જાન્યુઆરી 2006ના રોજ થયું. ત્યારબાદ,
2009 અને 2011માં તેમાં નવા ફેરફારો કરી વેબસાઇટને અદ્યતન બનાવવામાં આવી અને
આજે ફરીથી તેનાં કલેવર બદલવામાં આવ્યાં છે અને આ સ્વરૂપે પરમ પૂજનીય રતિકાકાને
શ્રદ્ધાંજલિ આપવાનો એક નાનો પ્રયાસ અમે કર્યો છે. છેલ્લાં આઠ વર્ષથી અવિરત
લોકચાહના પામીને ગુજરાતીલેક્સિકોન આજે ઘર ઘરમાં જાણીતું નામ બની ચૂક્યું છે. આ
માટે અમે સૌ ભાષાપ્રેમીઓના આભારી છીએ. જૂન 2013માં રજૂઆત પામેલી
ગુજરાતીલેક્સિકોન મોબાઇલ ઍપ્લિકેશનને સારો લોકપ્રતિસાદ મળ્યો છે. અમને ખાતરી
છે કે ગુજરાતીલેક્સિકોનનો નવો અવતાર સૌ ભાષાપ્રેમીઓને જરૂરથી ગમશે.”
આ પ્રસંગે વધુ માહિતી આપતાં ગુજરાતીલેક્સિકોન પ્રોજેક્ટ મેનેજર સુશ્રી મૈત્રી
શાહ જણાવે છે, નજીકના ભવિષ્યમાં હજુ ઘણા બધા નવા ફેરફારો આપ ગુજરાતીલેક્સિકોન
વેબસાઇટ ઉપર જોઈ શકશો. તાજેતરમાં જ અમે અમારા લિટરેચર વિભાગમાં ‘GL Goshthi’
નામના એક નવા પેટાવિભાગની રજૂઆત કરી છે જેમાં વિવિધ ક્ષેત્રના અગ્રણીઓના
માતૃભાષા તરફની તેમની લાગણીઓ તથા તેમના વિચારો, પસંદગી વગેરે વિવિધ બાબતોની
જાણકારી આપ મેળવી શકો છો. આ ઉપરાંત નજીકના ભવિષ્યમાં અમારા વિશેષતમ લર્નિગ
પ્રોગ્રામ દ્વારા કોઈપણ વ્યક્તિ સરળતાથી ગુજરાતી ભાષા શીખી શકશે અને તે સિવાય
સ્વાહિલી – ગુજરાતી શબ્દકોશ અને નવી મોબાઇલ ઍપ્લિકેશનનો ખજાનો પણ અમે
ભાષાપ્રેમીઓ માટે ઉપલબ્ધ કરાવીશું. ગુજરાતીલેક્સિકોન વેબસાઇટ ફેરફારોના બીજા
તબક્કામાં અમે સૌ ભાષાપ્રેમીઓને એક કમ્યૂનિટી પોર્ટલ દ્વારા એકસૂત્ર કરવાની
ઇચ્છા ધરાવીએ છીએ.
*ગુજરાતીલેક્સિકોન વિશે : *
45 લાખથી વધુ શબ્દભંડોળ ધરાવતું ગુજરાતીલેક્સિકોન આજે ઘર ઘરમાં જાણીતું બની
ચૂક્યું છે. જેનો મુખ્ય ઉદ્દેશ ભાષા અને ટેક્નોલૉજીના સમન્વય દ્વારા ભાષાને
સંગ્રહિત કરી તેનો વ્યાપ વધારવાનો છે.
*http://www.gujaratilexicon.com *વેબસાઇટની
મુલાકાત લઈને કોઈ પણ ભાષા પ્રેમી પોતાનું શબ્દ ભંડોળ વધારી શકે છે, સાહિત્ય
વાંચી શકે છે અને અમારા આ કાર્યમાં જોડાઈ શકે છે.
ભગવદ્ગોમંડલ (*www.bhagwadgomandal.com *),
લોકકોશ (*http://lokkosh.gujaratilexicon.com
*) અને ગ્લોબલ.ગુજરાતીલેક્સિકોન
(*http://global.gujaratilexicon.com/
*)ની સફળ રજૂઆત દ્વારા ગુજરાતીલેક્સિકોને
ભાષા પ્રેમીઓ માટે સમગ્ર વિશ્વને કમ્પ્યૂટરની એક ક્લિકે ઉપલબ્ધ કરાવી આપ્યું
છે.
ભગવદ્ગોમંડલ એ ગુજરાતી ભાષાનો એકમાત્ર એન્સાઇક્લોપીડિયા છે. જેનો સમાવેશ
ગુજરાતીલેક્સિકોને પોતાના ડેટાબેઝમાં કરીને સૌ ભાષાપ્રેમીઓ માટે તે હાથવગો કરી
આપ્યો છે. લોકકોશના માધ્યમ થકી શબ્દકોશમાં સ્થાન નહીં પામેલા પરંતુ
લોકવપરાશમાં હોય તેવા શબ્દોને એકત્ર કરવાનો પ્રયાસ કરવામાં આવે છે, જ્યારે
ગ્લોબલ.ગુજરાતીલેક્સિકોન એ ગુજરાતી ભાષા અને વિશ્વની અન્ય ભાષાઓ વચ્ચેના સેતુ
રૂપ છે. ગુજરાતીલેક્સિકોન આજે વિશ્વભરના લોકોમાં અને તેમાં પણ ખાસ કરીને
વિદ્યાર્થીઓ, પત્રકારો, લેખકો, સાહિત્યકારો, સંશોધકો, વ્યાપારીઓ તથા માહિતી
સંચાર સાથે સંકળાયેલા લોકોમાં જાણીતું નામ છે.
*અર્નિઓન ટેક્નોલૉજીસ વિશે*
અર્નિઓન ટેક્નોલૉજીસ એક નવીન વિચારો ધરાવતી સોફ્ટવૅર ઍપ્લિકેશન ડેવલપમેન્ટ
કંપની છે જે વેબ ઍપ્લિકેશન, ડિજિટાઇઝેશન, લોકલાઇઝેશન અને બિઝનેસ સપોર્ટ સર્વિસ
જેવાં ક્ષેત્રોમાં વિશેષ આવડત ધરાવે છે. અમે અમારા ક્લાયન્ટની જરૂરિયાત સમજી
તેમના માટે શ્રેષ્ઠ ઉપાય શોધી તેમની માંગને સંતોષવાનો સંકલ્પ રાખીએ છીએ.. અમે
શ્રેષ્ઠતા અને નવીનતા માટે અનંત શક્યતાઓ પૂરી પાડવા વચનબદ્ધ છીએ. કંપનીનો
મુખ્ય શબ્દપ્રયોગ છે : Exceed Expectations
અર્નિઓન એક મજબૂત બૌદ્ધિક કૌશલ્ય, ઉત્તમ અભ્યાસ અને મૂલ્યવાન સિદ્ધાંતો પર
આધારિત એન્ટરપ્રાઇઝ છે. જેનું મુખ્ય કાર્યાલય ભારતના મહાનગર અમદાવાદ ખાતે
આવેલું છે.
વધુ માહિતી માટે આપ અમારી વેબસાઇટ http://www.arniontechnologies.comની મુલાકાત લઈ
શકો છો અને અમારો info@arniontechnologies.com પર સંપર્ક પણ કરી શકો છો
સંપર્ક સૂત્ર : સુશ્રી મૈત્રી શાહ Email : maitri@arniontechnologies.com
Phone : +91 79 40049325 / +91 9825263050
માનનીય શ્રી,
ગુજરાતીલેક્સિકોનના સ્થાપક શ્રી રતિકાકાની સ્મરણાંજલિ સભા અમદાવાદ ખાતે 21 ઑક્ટોબર 2013ના રોજ સાંજે પાંચ વાગ્યે ગુજરાત વિશ્વકોશ ભવનમાં રાખવામાં આવેલ છે.
સરનામું : ગુજરાત વિશ્વકોશ ભવન, રમેશપાર્ક સોસાયટી, વિશ્વકોશ માર્ગ,
ઉસ્માનપુરા, અમદાવાદ – 380 013. ફોન : 079 – 2755 1703
ઉપસ્થિત રહેવા આપને હૃદય પૂર્વકનું આમંત્રણ.
આભાર,
ગુજરાતીલેક્સિકોન ટીમ.
ગુજરાતીલેક્સિકોન, ભગવદ્ગોમંડલ, લોકકોશના સ્થાપક અને ભાષાકીય પ્રવૃત્તિમાં હંમેશા આગળ રહેનાર શ્રી રતિલાલ પ્રેમચંદ ચંદરયા ઉર્ફે પૂજનીય રતિકાકા જેઓ પોતાના સમગ્ર જીવનકાળ દરમ્યાન તેમના સંપર્કમાં આવતાં દરેક લોકોને માટે એક પ્રેરણાસ્રોત સમાન રહ્યા છે તે આજે આપણા સૌની વચ્ચે હયાત નથી. વિજયાદશમીને દિવસે જન્મેલા રતિકાકાએ વિજયાદશમી (13 ઑક્ટોબર 2013)ને જ પોતાના જીવનનું અંતિમ બિંદુ બનાવ્યું છે. રતિકાકા એક જાણીતા ઉદ્યોગપતિ અને દાનવીર હતા.
શ્રી પ્રેમચંદ ચંદરયા અને શ્રીમતી પૂંજીબહેન ચંદરયાના પનોતા પુત્ર શ્રી રતિલાલ ચંદરયાનો જન્મ 24 ઓક્ટોબર, 1922ના થયો હતો. પોતાનું પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ તેમણે નૈરોબી અને મોમ્બાસામાં લીધું હતું. શૈક્ષણિક કાળ દરમ્યાન તેઓ યુવા પ્રવૃત્તિઓ, રમતગમત, યોગવિદ્યા વગેરે પ્રવૃત્તિમાં સક્રિય રીતે જોડાયેલા હતા. શરૂઆતના દિવસોમાં તેઓ જૈન યુથ લીગ, નૈરોબીના એક સભ્ય હતા. બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન સપરિવાર તેમણે ભારતમાં સ્થળાંતર કર્યું. આ સમયગાળા દરમ્યાન પોતાનો અભ્યાસ ચાલુ રાખવાને બદલે તેમણે પરિવારના પરંપરાગત વ્યવસાયમાં જોડાવવાનું નક્કી કર્યું. ભારતમાં તેમણે ઘણાં નવાં ઔદ્યોગિક સાહસોની સ્થાપના કરી અને પોતાની દૂરંદેશી અને સૂઝબૂઝથી આયાત–નિકાસનો ધંધો વિકસાવી તેનું વિસ્તરણ પણ કર્યું.
નૈરોબીમાં જન્મેલાં વિજ્યાલક્ષ્મીબહેન સાથે તેમનાં લગ્ન, ઈ.સ. 1943માં જામનગર મુકામે થયાં. એક પુત્રી, ત્રણ પુત્રો અને આઠ પૌત્ર–પૌત્રીઓ અને દૌહિત્ર-દૌહિત્રીઓનો બહોળો પરિવાર તેઓ ધરાવે છે. 1946માં તેઓ નૈરોબી પાછા ફર્યા અને સક્રિય રીતે પોતના વ્યવસાયમાં જોડાયા અને વ્યાવસાયિક કારણોસર તેઓ અવારનવાર પૂર્વ અને મધ્ય આફ્રિકાની સફર ખેડતા રહ્યા. તેમની પચાસીના શરૂઆતના વર્ષોમાં તેમના પરિવારજનોએ કેન્યા અને બીજા દેશોમાં વ્યાવસાયિક વિસ્તરણ કરવાનો રસ દાખવ્યો. તેમણે 1960માં દાર-એ-સલામમાં વસવાટ કર્યો અને ત્યારબાદ 1965માં યુરોપીય દેશોમાં વ્યાપારના વિસ્તરણ માટે લંડન ખાતે વસવાટ કર્યો. લંડનના વસવાટ દરમ્યાન અમેરિકામાં ધંધાકીય શક્યતાઓ તેમણે ચકાસી. દક્ષિણ-પૂર્વ એશિયામાં ધંધાકીય વિસ્તરણ કરવા માટે સિંગાપોરમાં તેમણે 1975માં વસવાટ કર્યો તે પહેલાં ટૂંકા ગાળા માટે તેઓ જીનીવા રહ્યા હતા. સ્થાનાંતરણ અને વિસ્તરણના સમગ્ર ગાળા દરમ્યાન તેઓ એક સશક્ત ઉદ્યોગસાહસિક તરીકે ઊભરી આવ્યા અને તેમણે વિવિધ ખંડો અને દેશોમાં પોતાની પારિવારિક મૂડી અને સંપત્તિનું રોકાણ કર્યું.
વ્યાપારી અને ઔદ્યોગિક પ્રવૃત્તિઓ સિવાય તેઓ છેલ્લાં 65 વર્ષથી આફ્રિકા, એશિયા, ઇન્ડોનેશિયા, ચીન, જાપાન, કેનેડા, યુનાઇટેડ કિંગડમ વગેરે દેશોમાં અનેક સામાજિક પ્રવૃત્તિઓ જેવી કે મહાત્મા ગાંધી એવોર્ડસ, ભારતીય જીમખાના, જૈન સેન્ટર, જૈન ફેલોશીપ સેન્ટર વગેરેમાં પણ સક્રિય રીતે જોડાયેલા હતા. સમાજના પુનુરુત્થાન માટેની પ્રવૃત્તિઓ માટે પોતાનો સમય અને બુદ્ધિ પ્રતિભાનો ઉપયોગ કરવાના તેઓ હંમેશાં હિમાયતી રહ્યા છે.
આ સિવાય તેમનું પ્રદાન નીચે જણાવેલી અન્ય સંસ્થાઓમાં પણ રહ્યું છે :
1972માં તેઓ યુગાન્ડામાંથી નિર્વાસિત લોકોના કલ્યાણ માટે નિર્મિત એમ્પ્લોયમેન્ટ વર્કિંગ પાર્ટી ઑફ કો–ઓર્ડિનેટિંગ કમીટીના એક સભ્ય હતા.
1972માં ભારતીય વિદ્યા ભવનની એક્ઝીક્યુટીવ કમિટીના સભ્ય તરીકે નિમાયા.
1973માં તેઓ બે વખત ઓશવાલ એસોશિયેશનના પ્રમુખ તરીકે ચૂંટાયા
ભવનની ભંડોળ એકત્ર કરનારી સમિતિના વાઇસ ચેરમેન પદેથી તેઓ 1975માં રિટાયર્ડ થયા ત્યાં સુધી ભવનની ભંડોળ એકત્ર કરનારી સમિતિના તેઓ જનરલ સેક્રેટરી, ચેરમેન તરીકેની ફરજો નિભાવી છે
ઈ.સ. 1980માં સંગમ, એસોશિયેશન ઑફ એશિયન વુમેનના ટ્રસ્ટી.
1982માં ભારતીય જીમખાનાના ટ્રસ્ટી અને 1985માં તેના ચેરમેન બન્યા.
ડિસેમ્બર 1991માં ભારતીય તહેવારો ટ્રસ્ટના ટ્રસ્ટી અને તહેવાર કમિટીના મેમ્બર બન્યા.
એસોશિયેશન ઑફ એશિયન ઇન યુકેના ફાઉન્ડર ચેરમેન
ઓશવાલ એસોશિયેશન યુકેના ચેરમેન અને બોર્ડ ઑફ ટ્રસ્ટી તરીકે બે વખત ચૂંટાયા
‘ઇન્ટરનેશનલ ફોરમ ઑફ ઓવરસીઝ ઇન્ડિયનસ’ના સ્થાપક
‘ઇન્ડિયન સ્પોર્ટસ અને ફિઝિકલ ફાઉન્ડેશન’ના સ્થાપક ટ્રસ્ટી
‘ઇન્સ્ટીટ્યુટ ઑફ જૈનોલોજી, લંડન અને અમદાવાદ’ના સ્થાપક અને ચેરમેન
‘ઇન્ટરનેશનલ સેક્રેડ લિટરેચર ટ્રસ્ટ, લંડન’ના ટ્રસ્ટી
પાલીતાણા ખાતે આવેલ ‘ઓશવાલ યાત્રિક ગૃહ’ના ટ્રસ્ટી.
જામનગર સ્થિત ‘હાલારી વિશા ઓશવાલ દેરાસર ટ્રસ્ટ’ના ટ્રસ્ટી
ગુજરાતી ભાષાના સ્રોત તરીકે રજૂ કરવામાં આવેલ ગુજરાતીલેક્સિકોનના સ્થાપક તરીકેની તેમની ઓળખ સૌથી વધુ પ્રચલિત છે. ‘મારે મારી માતૃભાષા માટે કંઈક કરવું છે’ બસ આ એક જ લગની તેમને આ પ્રકલ્પ સુધી લઈ આવી અને માટે તેમણે 25 વર્ષ કરતાં વધુ સમય તેની પાછળ આપ્યો છે. ગુજરાતી ભાષા પ્રત્યે પ્રેમ અને રુચિ ધરાવનારા લોકો માટે ગુજરાતીલેક્સિકોનને એક સેતુ સમાન બનાવવાની મહેચ્છા દાખવતા હતા. તેમની ભાષા માટે કંઈક કરી છૂટવાની ઘેલછા અને ઉત્સાહની મહેંક આજે વિવિધ ખંડો અને સંસ્થાઓમાં પ્રસરી ચૂકી છે. 13 જાન્યુઆરી 2006ના દિવસે ગુજરાતી ભાષાના સૌથી મોટા પોર્ટલ તરીકે ગુજરાતીલેક્સિકોનની રજૂઆત થઈ. સમયાંતરે સરસસ્પેલ ચેકર, ભગવદ્ગોમંડલ, લોકકોશ, ડિજિટલ સાર્થકોશ, ક્રોસવર્ડ, ક્વિક ક્વિઝ, રમતો, બાળકો માટેની રમતો અને મોબાઇલ એપ્લિકેશન વગેરે વિભાગો થકી ગુજરાતીલેક્સિકોન વધુ સમૃદ્ધ બન્યું. ગુજરાત વિદ્યાપીઠ, ગુજરાતી સાહિત્ય પરિષદ, સીડેક અને બીજી અન્ય સંસ્થાઓ સાથે જોડાઈને ગુજરાતીભાષાના પ્રચાર અને પ્રસારના ઘણા પ્રકલ્પોમાં ગુજરાતીલેક્સિકોને પોતાનો ફાળો આપ્યો છે. તેમણે ગુજરાતીભાષાના ઐતિહાસીક સીમાસ્તંભ સમાન ભગવદ્ગોમંડલને ડિજિટાઇઝ કરી તેની વેબ આવૃત્તિ ભાષા પ્રેમીઓ માટે રજૂ કરી છે. યુએસ કૉગ્રેસ ફેડરલ લાઇબ્રેરીના કેટલોગમાં ગુજરાતી ભાષાના સીમાચિહ્ન રૂપી કાર્ય તરીકે આ વેબ આવૃત્તિને સ્થાન આપવામાં આવ્યું છે.
એક સફળ અને સશક્ત ધંધાકીય સાહસના સ્થાપક શ્રી રતિકાકાનું જીવન કોઈપણ વ્યક્તિને પ્રેરણા પૂરી પાડનારું રહ્યું છે. તેમણે તેમના જીવનમાં ઘણાં મોટા લક્ષ્યાંકો અને સિદ્ધિઓ હાંસલ કરી છે. તેમના સમકાલીન લોકો અને મિત્રો હંમેશાં તેમના જીવનમાંથી પ્રેરણા મેળવતા રહ્યા છે.
તેઓ તેમની પાછળ એક સમૃદ્ધ વારસો મૂકતા ગયા છે.
જ્યાં જ્યાં વસે ગુજરાતી, ત્યાં ત્યાં વસે ગુજરાત
જ્યાં જ્યાં વસે ગુજરાતીલેક્સિકોન, ત્યાં ત્યાં વસે રતિકાકા
ગુજરાતીલેક્સિકોનના રચયિતા શ્રી રતિલાલ ચંદરયાના નેતૃત્વ હેઠળ ગુજરાતીલેક્સિકોન ટીમ ઉમેરાતી જતી નવી નવી ટૅક્નૉલૉજીના ઉપયોગથી ગુજરાતી ભાષાને વધુ સમૃદ્ધ બનાવવા સતત પ્રયત્નશીલ છે. આથી જ ગુજરાતીલેક્સિકોન મોબાઇલ ટૅક્નૉલૉજીના યુગમાં નવીન ટૅક્નૉલૉજી સાથે તાલથી તાલ મેળવીને તેની વિવિધ પાંચ મોબાઇલ એપ્લિકેશન રજૂ કરી છે.
આ એપ્લિકેશન એન્ડ્રોઇડ, એપલ આઇઓએસ અને બ્લેકબેરી ધરાવતા મોટાભાગના સ્માર્ટફોન અને ટેબલેટમાં પણ રમી શકાશે.
ગુજરાતીલેક્સિકોન દ્વારા રજૂ થતી પાંચ ઍપ્લિકેશનની માહિતી નીચે પ્રમાણે છે :
1. GL Dictionary – અંગ્રેજી-ગુજરાતી, ગુજરાતી-અંગ્રેજી, ગુજરાતી-ગુજરાતી એમ ત્રણ પ્રકારના શબ્દકોશો ઉપરાંત આજનો શબ્દ અને આજનો સુવિચારનો સમાવેશ
2. GL Plus – ગુજરાતી વિરુદ્ધાર્થી શબ્દો, રૂઢિપ્રયોગો, શબ્દસમૂહ માટે એક શબ્દ, પર્યાયવાચી શબ્દો અને કહેવતોનો સમાવેશ
3. GL Special – અગત્યનાં પૌરાણિક પાત્રો, છંદ વિષયક, પક્ષી વિષયક અને વનસ્પતિ વિષયકનો સમાવેશ
4. GL Games – ગુજરાતી ક્વિક ક્વિઝ અને ક્રોસવર્ડનો સમાવેશ
5. Lokkosh – લોકોના સાથ અને સહયોગથી ચાલતો શબ્દકોશ જેમાં નવા ઉમેરાયેલા શબ્દો, શબ્દમિત્ર બનો અને શબ્દ સૂચવો તથા જૂની મૂડીના શબ્દોનો સમાવેશ
ગુજરાતીલેક્સિકોનની વેબસાઇટની જેમ જ ગુજરાતીલેક્સિકોન મોબાઇલ ઍપ્લિકેશન કાર્ય કરે છે. ચાલો ત્યારે, મોબાઇલ ઍપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે નીચે આપેલી લિંક પર ક્લિક કરો.
· Android – play.google.com/store/search?q=gujaratilexicon
· Blackberry – appworld.blackberry.com/webstore/search/gujaratilexicon/?
· iPhone – Coming Soon !
આપનાં અમૂલ્ય પ્રતિભાવો અમને info@gujaratilexicon.com ઉપર મોકલાવી શકો છો અથવા ફોનથી 079-4004 9325 ઉપર સંપર્ક કરી શકો છો.
જય જય ગરવી ગુજરાત !
પ્રિય રેખાબેન,
આજ રોજ “લયસ્તરો” મારફત તમારા બ્લોગની મુલાકાત લીધી. તમે સુંદર લખ્યું છે, જે દેશમાં રહીએ તેની માયા બંધાઈ જાય છે. અને વરસોથી અહીં રહેતાં હોઈએ પછી મરવા માટે દેશમાં જઈએ તો ત્યાંના લોકો એમજ કહેવાના, મરવા માટેજ અહીં આવ્યા? અહીં પણ વિધિપુર્વક અંતેષ્યટી કરાય જ છે. હા, જન્મના દેશની માયા તો રહેવાની પણ જેમ ઘર બદલીએ, નાનામાંથી મોટું લઈએ કે નોકરી-ધંધા માટે શહેર બદલીએ અને તે ઘર કે શહેરને આપણું માની લઈએ તેમ દેશ પણ બદલાય, તો તેને પણ આપણો માની લેવાનો…. સુંદર માન્યતા બદલ અભિનંદન…..
I m new here….bt nice blog by rekha
why r u die in america?
Nice blog , Rekhaben .
રેખાબેન,
તમે સાચુંજ લખ્યું છે, “જે દેશમાં આપણે શ્વસીએ છીએ તેને ન ચાહીએ તો તે આપણી કમી કહેવાય. ભારત વિષે કોઈ અહીં હીણું બોલે તો તે હું પણ સાંખી શક્તી નથી અને તે જ રીતે કોઈ ભારતવાસી અમેરીકા સાથે સરખામણી કરીને અમેરીકાને ઉતારી પાડે તે પણ યોગ્ય લાગતું નથી. સરખામણી શા માટે? તે જ મને નથી સમજાતુ. સંસ્કૃતિ અને રિવાજો આપણે (માનવે) ઘડેલા છે. કુદરતનો રિવાજ તો બધે સરખો જ છે” કેટલું બધું સત્ય છે! Nice.
Rekhaben tamaro blog khubaj saras lagyo tamaro parichay pan saro lagyo
aabhar sathe best wishes
mahashiv ratri ni shubh kamnao.
રેખાબેન તમારો બ્લોગ મને ખુબ ગમ્યો.તમારી ત્યાં(અમેરિકામાં) છેલ્લા શ્વાસ લેવાની ઈચ્છા વ્યક્ત કરીને ભલે તમે તે દેશ પ્રત્યે લાગણી વ્યક્ત કરી હોય પરંતુ ગુજરાતને તમે આજે ય નથી ભૂલી શક્યા એ તમારા આ બ્લોગને જોઈને કહી શકું છું.અને એક વિજ્ઞાન અને ગણિત વિષયમાં શોખ ધરાવતી વ્યક્તિનો સાહિત્યપ્રેમ જોઈને ખુબ સારું લાગ્યું…
Hon’ble Rekhaa ben,
visitede your blog after a long time.
in fact I lost your mail address in a computer repair. Now I wish to make a film baseed on my work AKOOPAAR. (Hope you have read it. If not, I can send you a copy)
I have no experience in film making, nighter i hv mony but i can gather people who can make a film
dhruv
Dear Rekha
your blog and u thought both r superb
DEAR REKHABEN,
JAI SHRI KRISHNA. ACCEPT MY HEARTIEST CONGRATULATIONS FOR SUCH A WONDERFUL WEBSITE. YOU ARE DOING AN EXCELLENT JOB. I READ YOUR THOUGHTS ON types of truth WHICH ARE THOUGHT PROVOKING. THE OBSERVATION OF MR. SHARAD SHAH IS FANTASTIC. IF HE PERMITS I WANT TO TAKE ON MY FACEBOOK SO MY RELATIVES IN FOREIGN COUNTRIES CAN READ IT AND OUR FRIENDS IN INDIA WILL HAVE BETTER UNDERSTANDING OF THOSE WHO STAY OUT OF INDIA.
HOW ARE YOU AND FAMILY? WE WILL REACH TO RAJKOT ON 9TH OCT.
I APPRECIATE YOUR INNER TALENT WHICH BENEFITS READERS LIKE US. PL KEEP IT US.
WITH REGARDS,
manubhai lalsetta
Dear Manubhai;
Love.
Permission is granted (In Government Terminology).
(Now in Humanitarian Terminology) Dear Manubhai, when I see people are stucked up in small small stupidities and are in great pain, I do write what I feel the truth according to my understanding. If my vision appeals to you or anybody, may take it to reproduce it. I don’t have any copy right on it.
My love to all your family members and friends.
His Blessings;
Sharad Shah
પ્રિય રેખાબેન;
પ્રેમ;
કુતરું કે બીલાડી પણ પાળીએ તો થોડા સહવાસથી તેની સાથે આત્મિયતા બંધાઈ જાય છે. એટલે આટલાં વર્ષો જે દેશમાં તમે રહ્યા છો તે દેશ પ્રતિ તમારો પ્રેમ હોય તે સ્વાભાવિક છે. પ્રેમ ન હોય તો કાંઈક અજુગતુ છે.
બીજું કે કાશી એ કરવત મુકાવા પહેલાં લોકો જતા તેમ અમેરિકાથી કોઈ મરવા માટે ભારત આવે તેવી પ્રથા નથી કે તે શક્ય પણ નથી. કેટલાંય ભારતિયોએ વિદેશમાં દેહ છોડ્યો છે અને છોડતા રહેશે. ભારતિય મનિષા તો કહે છે કે દરેક વ્યક્તિના મરણનો સમય અને સ્થળ નક્કી જ છે. તમે પણ કદાચ સંજોગો અને પરિસ્થિતિ જોઇને જ સહજતાથી કહ્યું હશે કે “હવે તો દેહ અમેરિકામાં જ છુટે”
પણ તમારી સીધી સાદી વાતનુ વતેસર કરી નાંખવામાં આવ્યું તેમ કેટલાંક મંતવ્યો વાંચીને જણાયું.ખરેખર તો આ સમગ્ર પૃથ્વી ની ભુમિ અખંડિત છે તેનું કોઈ જગ્યાએ વિભાજન નથી. જે વિભાજનો દેખાય છે, જુદા જુદા દેશના રુપે, તે સત્તાખોર લોકોના પ્રતાપે છે.અને આ સત્તાખોર લોકોએ ઇતિહાસ લખ્યા છે, અને માનવીના મનમાં એટલાં કુસંસ્કારો રેડ્યા છે કે દરેક દેશના લોકો એમ જ સમજતા હોય છે કે તેમનો દેશ જ સૌથી મહાન છે. આ ગ્રંથીના મુળિયાં એટલાં બધા ઉંડે ઉતરી ગયા છે કે તેઓ સત્ય જોઈ નથી શકતા, કે આ સમગ્ર પૃથ્વી અવિભાજ્ય છે અને ભુમિ માત્ર પવિત્ર છે. ભુમી ભારતની હોય કે અમેરિકાની, દેહ આખરે તો ભુમિમાંજ મળી જવાનો છે. જે જ્યાંથી જે લિધેલું તે પાછું પરત આપી દેવું પડે છે.પંચ મહાભુત પાછો પંચ મહાભુતમાં ભળી જાય છે. પરમાત્મા તમારી અમેરિકામાં દેહ છોડવાની મનોકામના પૂર્ણ કરે.
શેષ શુભ.
પ્રભુશ્રિના આશિષ;
શરદ
hi rekha… read all comments.. all have their own thinking..and i know you are always welcome other’s thinking too.. so no need of any argument..
વિશ્વદીપ બારડના મતે…
ભારત્ તેમને માટે દેવકીમા છે..અને અમેરિકા યશોદામા…
દેવકીજી અને યશોદાજી વચ્ચે સરખામણી કે સ્પર્ધા ન હોઇ શકે..
અલબત્ત આ તો તેમનો અંગત મત છે. મને એ યાદ આવ્યું એટલે અહીં લખ્યું.
બાકી જન્મભૂમિ અને કર્મભૂમિ … બંનેનું એક આગવું સ્થાન હોય છે.. કોઇ સરખામણી સિવાય…
વિશ્વદીપ્ બારડના કહેવાથી અમેરિકા યશોદામા ના બની શકે. અને સૌની પોતાની વિચારસરણી હોવાની જ.
India is always great. but some body like owner of this blog is want to die in america… I agree with ravirajsinh you should publish your blog in english level.
પ્રિય રાધિકાબેન,
સ્ત્રીનું હ્રદય વિશાળ હોય છે તેથી જ તે પિયરમાં જન્મી હોવા છતાં સાસરાના ઘરને પોતાનું કરી શકે છે અને પિયરને છોડી દીધા છતાં જીવનભર ચાહે છે. હું ભારતદેશને પણ એટલો જ ચાહું છું. શા માટે બે ય દેશને ન ચાહી શકીએ તે જ મને સમજાતું નથી. અમારી આ કર્મભૂમિ છે અને લાખ ચાહીએ તો પણ ફરી ત્યાં આવીને વસવાટ કરવો તે સહેલી વાત નથી કદાચ ફરવા આવીએ અને તબિયત બગડે તો પણ અઘરૂં થઈ જાય. કેટલાંકને અહીંયા પણ એમ થાય ભારત એટલો બધો વ્હાલો દેશ છે તો અહીં આવ્યા જ શું કામ? શું આ સંકુચિતતા નથી? આખા ય વિશ્વને શું આપણુ ન ગણી શકીએ? પિયર વ્હાલુ હોય તેથી સ્ત્રી શું સાસરે નથી જતી? ‘ભારત અથવા અમેરીકા’ ને બદલે ‘ભારત અને અમેરીકા’ કેમ નહી?
મને લાગે છે કે તમે અન્ય કોમેંટસ વાંચી નહીં હોય પણ રવિરાજસિંહ મારી વાત સમજી શક્યા હોય તેમ જણાય છે.
તમારો દેશ અને દેશવાસીઓ પ્રત્યેનો સ્નેહ જોઈ આનંદ થયો.
આભાર સહ……
(email courtsey)
માનનીય રેખાબહેન,
હું આપની સાથે સહમત છુ પણ બધી વાતોમા નહી. જવા દો એ વાત… આપનો બ્લોગ ખુબ જ સરસ છે. પરદેશમા રહીને આ પ્રકારે ગુજરાતીમા બ્લોગ લખી ભારતીય જનતા સાથે આપે સંપર્ક બનાવી રાખ્યો છે તે બહુ સારી વાત છે. આપની સાથે વાતચીત કરી આનંદ થયો.
રવિરાજસિંહ આઇ. જાડેજા
(visit us at http://www.rijadeja.com)
માનનીય રવિરાજભાઈ,
તમારી દેશદાઝ જોઈને દિલમાં ખરેખર આનંદ થાય છે. જે દેશમાં આપણે શ્વસીએ છીએ તેને ન ચાહીએ તો તે આપણી કમી કહેવાય. ભારત વિષે કોઈ અહીં હીણુ બોલે તો તે હું પણ સાંખી શક્તી નથી અને તે જ રીતે કોઈ ભારતવાસી અમેરીકા સાથે સરખામણી કરીને અમેરીકાને ઉતારી પાડે તે પણ યોગ્ય લાગતું નથી. સરખામણી શા માટે? તે જ મને નથી સમજાતુ. સંસ્કૃતિ અને રિવાજો આપણે (માનવે) ઘડેલા છે. કુદરતનો રિવાજ તો બધે સરખો જ છે વળી બ્લોગની પબ્લીસીટી કરવાનો મારો જરાય ઈરાદો નથી ઉલ્ટાનું મેં તો મારો બ્લોગ પ્રાયવેટ કરી નાખેલો જેથી હું જેને પરવાનગી આપું તે જ વાંચી શકે. પણ બહુ કોમપ્યુટર ન વાપરતા હોય તેવાં કેટલાંક સ્વજનોની લાગણીને કારણે મેં ફરી પબ્લિક સેંટિગ પર મૂક્યો.
બીજું કે અમુક કાવ્યો અને લેખોમાં ભારત વિષે પણ લખ્યું જ છે. અહીં અમેરીકન લોકોમાં ભારત પ્રત્યેની કોઈ ખોટી માન્યતાનો મને ખ્યાલ આવે તો તે દૂર કરવા હું અચૂક પ્રયત્ન કરૂં. દૂર રહીને ઘણા પરદેશીઓ ભારત માટેની ભાવનાને કારણે પુષ્કળ દાનનો પ્રવાહ વહેવડાવે છે અને દેશસેવામાં એ રીતે પણ પોતાનો ફાળો જ આપે છે. કેટલાક કિસ્સામાં તો ત્યાં દેશમાં વસતા લોકો કરતા ય તેમનામાં દેશ પ્રત્યેની ભાવના વધુ જોવા મળે છે. આપણા દેશ માટેની આપણી ચાહના અન્ય દેશ માટેની ઉપેક્ષા કે તિરસ્કારનું કારણ ન બનવી જોઈએ એમ મારૂં માનવું છે. અને જો તેમ થાય તો આપણી ચાહનાની પ્રબળતામાં ખામી જ સમજવી એમ મારી જાતને કહેતી હોઉં છું. એક માટેનો પ્રેમ બીજા માટે નફરત જન્માવે તો તે પ્રેમમાં ઉણપ હોય છે એમ સમજું છું પણ મારો જરા ય દાવો નથી કે હું જે માનું છું અને સમજું છું તે જ બરાબર છે. મારી માન્યતા મારા અનુભવોને કારણે હોય તેમ અન્યની માન્યતાઓ એમના અનુભવોને કારણે હોય આથી બીજાને ખોટા માનવાનો મારો અધિકાર જ નથી એમ જાણી અન્યની માન્યતાઓનો સ્વીકાર કરવા પણ પ્રયત્નશીલ રહું છું. બીજાની માન્યતાનો સ્વીકાર કરવા માટે આપણી પોતાની માન્યતા બદલવી જરૂરી નથી એ પણ એટલું જ સાચું છે તેમ જ વિરોધી હોય તો પણ હિમંતથી પોતાની માન્યતાઓ રજુ કરનારા લોકો મને ગમે છે.
સ્પષ્ટતા કરવા માટે આભાર!
રેખા સિંધલ
વિશ્વની અનેક હસ્તીઓ જેમકે ડૉક્ટરો, એંજીનિયરો, વૈજ્ઞાનિકો વગેરે માથી ઘણાબધા ભારતીય છે તે આનંદની વાત છે પણ અફસોસની વાત એ છે કે તેઓ બધા પોતાના દેશને બદલે બીજા દેશમા સેવા આપે છે….. !!! એવા જ એક નવા નાગરિક (રેખાબેન) નો આજે પરિચય થયો… ખુબ જ સરસ રેખાબહેન… તમારે બ્લોગ પણ અંગ્રેજીમા જ લખવો જોઇએ…. જેથી અમેરિકનો વાંચી શકે.
આપની વાત હું બરાબર સમજી શકી નથી. માતૃભાષામાં અભિવ્યક્તિ વધારે ખીલે તેવી મારી માન્યતા છે. લોકોને વંચાવવાનો હેતુ ગૌણ હોવો ઘટે. પરદેશની ભૂમિ પર વસ્યા પછી “વસુધૈવકુંટુંબકમ” ની ભાવના સાથે હૃદય વિશાળ થતું અનુભવ્યુ છે. સ્ત્રી પિયરમાં જન્મી હોવા છતાં સાસરીને પોતાનું ઘર ગણે તેવી જ કંઈક વાત અમારા જેવા પરદેશીઓની છે.પોતાના દેશમાં વિકસવાની તકના અભાવે જ મારા જેવા કેટલાય પરદેશમાં વસવાટ પસંદ કરે છે. તમે મારા બ્લોગની મુલાકાત લીધી તેનો મને આનંદ છે અને પ્રતિભાવ માટે આપની આભારી છું.
(e mail courtsey)
Respected Rekhaji,
હુ આપને સ્પષ્ટ શબ્દોમા ના લખી શક્યો પરંતુ હવે આપને સ્પષ્ટ શબ્દોમા કહુ છુ કે જો આપને અમેરિકન ભૂમિ એટલી બધી વહાલી હોય કે તમે મૃત્યુ પણ ત્યા જ ઇચ્છતા હોય તો આપે આપનો બ્લોગ પણ અંગ્રેજીમા લખવો જોઇએ જેથી અમેરિકનો તેને વાંચી શકે… ભારતીય વાચકો પાસે બ્લોગની પબ્લીસીટી વધારવાનો શો મતલબ ? માફ કરશો, મારો ઝઘડો અથવા આર્ગ્યુમેન્ટ કરવાનો ઇરાદો નથી પણ ભારત દેશ માટે હુ એકદમ પ્રતિબદ્ધ છુ અને કોઇ ભારતીય એમ કહે કે અમેરિકન ધરતીપ્રત્યે તેને એટલો પ્રેમ છે કે તે મૃત્યુ પણ ત્યા ઇચ્છે છે તો તે વાત હુ સહન કરી શકુ નહી. કમ સે કમ જાહેરમા બ્લોગ પર આવુ લખી તમે શુ કહેવા ઇચ્છો છો ? તમારો આ ગુજરાતી બ્લોગ આખરે વાંચશે કોણ ??? ગુજરાતી / ભારતીયો જ ને??? તો તેવા ભારતીય વાંચકોને તમે પરદેશ પ્રત્યે આટલી લાગણી કેમ દર્શાવો છો? અને વસુધૈવકુટુંબકમ ની ભાવના હોય તો આપે ભારત વિશે કેમ કશુ ના લખ્યુ ? તમારે ભારત વિશે પણ બે શબ્દો લખવા જોઇએ… સ્ત્રી પિયરમા જન્મે અને સાસરીમા જાય તે ભારતીય રિવાજ છે અને તે રિવાજને પરદેશ જતી સ્ત્રી સાથે સરખાવી ના શકાય. અને તમે દેશમા ખીલી ના શક્યા તે વાતમા હુ તમારી સાથે સહમત છુ કે અમુક સંજોગોને લીધે તમે કદાચ ભારતમા ખીલી શક્યા નહી હોય પણ આ રીતે બ્લોગમા બીજા દેશનો પ્રેમ દર્શાવવાનો મતલબ શુ ? આશા છે મારા આ મેઇલ થી અથવા મારી કમેંટથી આપને ખોટુ નહી લાગે પરંતુ મે જે કહ્યુ તે એકદમ સાચી વાત છે.
Also visit my educational website http://www.rijadeja.com and my
blog http://blog.rijadeja.com.
Regards,
Ravirajsinh I. Jadeja
કેવો મજાનો સંવાદ ! બન્ને વાતમાં એક બાબત કૉમન રહી કે બન્ને કોમેન્ટમાં સામાને સમજવાની સંપૂર્ણ તૈયારી છે. શ્રી જાડજાનો વિરોધ પણ ડંખ વિનાનો અને તમારી સ્પષ્ટતાય ઉદારમતી !
બે છેડે સામસામે રહેતી બે વ્યક્તિઓ વચ્ચે આટલી સહજતાથી સંવાદ થાય તો કેવળ જ્ઞાન જ વધે. આપ બન્નેની વાતોએ મને ત્રીજાને આમાંથી ઘણું જાણવા–માણવા મળ્યું. રેખાબહેનનાં લખાણોમાં સાહિત્યિકતા મેં જોઈ હતી, આજે આ તાટસ્થ્ય પણ માણ્યું. શ્રી જાડેજાસાહેબને પણ ધન્યવાદ.
Kya baat hai Ravirajsinhji! tame akhre apno deshprem dekhadyo j. je vyakti education mate atli mahenat kare che tene desh mate pan kaik che te jani ne anand thayo.
Sacha rajput..
લો આટલો વહેલો તમને ઓળખવા આવ્યો!
hello
rekhaji
jai somnath
khub gamyu im also from veraval
lakhta raho khub lakho
shubkamnao
Thank you for visiting my blog and for your best wishes.
આજ સુધી આ બ્લોગ કેમ વંચાયો નહીં એ પ્રશ્ન અને એની વાંસે વાંસે ચાલ્યો આવતો પસ્તાવો એ મારો પ્રથમ પ્રતિભાવ.
આ બ્લોગ વિષે જ કંઈક મનભર લખવું એવો નિશ્ચય તે બીજો પ્રતિભાવ, અને
જો મંજુરી આપો તો આ બ્લોગની લિંક મારા બ્લોગ પર મૂકીને તમારી ભાષા, તમે પસંદ કરેલા વિષયો અને એમાં પ્રગટતા એક સૂક્ષ્મ પણ છલોછલ જગતને પ્રચારવું તે ત્રીજો પ્રતિભાવ.
હું તમારાથીય પહેલાં નીલમબહેનને ધન્યવાદ આપીને આભાર પ્રગટ કરીશ. ગુરુગોવિંદવાળી વાત !!
આજનો દિવસ તમારા આ બ્લોગ અને એમાંનાં લખાણોના માનમાં…ખુબ જ આનંદ થયો.
રેખાબહેન આપના બ્લોગને ગુજરાતી બ્લોગ્પીડિયા બ્લોગ એગ્રીગેટર માં સામેલ કર્યો છે મુલાકાત લેશો http://rupen007.feedcluster.com/
રેખાબહેન આપને ગરવા ગુજરાતીઓનું નેટજગત ગ્રુપમાં જોડાવા આમંત્રણ છે .મુલાકાત લેશો http://groups.google.co.in/group/netjagat
રેખાબેન,
આપનાથી પરિચિત છું, જ્યારથી મારે વિજયભાઈ શાહ સાથે પરિચય છે. એ સમયગાળામા મારા બ્લોગીંગનાં શરૂઆતનાં બે વર્ષ થોડાક અપવાદોને બાદ કરતાં લગભગ 80 થી 90 ટકા આર્ટિકલ અંગ્રેજીમાં જ રહ્યા હતા. વિજયભાઈએ મારા બ્લોગ માટે સરસ મજાનો શબ્દ ‘દ્વિભાષી’ (Bilingual) આપ્યો અને તેમના બ્લોગ માટે કેટલાક ગુજરાતીમાં અનુવાદિત આર્ટિકલ માગ્યા, ચારેક જેટલા પ્રસિદ્ધ પણ થયા. આનાથી મને એક એવો મોકો મળ્યો કે હું ગુજરાતી ભાઈબહેનોના સંપર્કમાં આવ્યો.
ચન્દ્રવદનભાઈના બ્લોગ ઉપર આપના વિષેનો લેખ વાંચ્યો, ત્યારે આપના વિષે વિશેષ જાણકારી મળી. આ મેઈલ લખવા પહેલાં આપના બે આત્મલક્ષી આર્ટિકલ ‘My Father” અને “The Story of my Depression” વાંચી લીધા. અંગ્રેજી ઉપરના આપના પ્રભુત્વથી પ્રભાવિત થવા ઉપરાંત આપની જીવનઝરમરથી પણ એટલો જ આકર્ષિત થયો છું. આપનો Depression ઉપરનો આર્ટિકલ Most Scientific છે. મારો બંને વર્ઝનમાં પ્રાપ્ય સાહિત્યિક કહી શકાય એવો “Depression” અર્થાત્ “હતાશા કે ઉત્સાહભંગ” આપના અવલોકન માટે સૂચવું છું જે અનુકૂળતાએ વાંચશો. બંનેના લિંક નીચે મુજબ છે.
(1) English : – http://www.musawilliam.com/2007/10/11/depression/ (2) ગુજરાતી
મારી જેમ આપના લેખોમાં વિવિધતાઓ છે એટલે આપણી વચ્ચે વિચારવિનિમય થતો જ રહેશે.
કુશળતાપ્રાર્થી,
વલીભાઈ
hi auntie,never knew this expressive side of yours.hu alankarik bhasha ma vakhan nahi karu.tuka padse.being a gujarati i will start writing in own language as soon as possible.
mare mirabai thavu che,
krishna sathe jodai ne vish malyu.
have rudiya mathi g amrut pivu che.
shu krishna vagar mari koi olakh che?
રેખાબેન મને અફસોસ છે કે તમારા બ્લોગમાં હું બે વરસ પછી આવી! ચલો દેર આયે દુરુસ્ત આયે..
સપના
welcome in gujarati blog world
Rekhaji
nice, i enjoyed, godess bless u bright success.
Thank you.
Rekha Sindhal
https://axaypatra.wordpress.com
Chiranjivi Rekhaben,
As you know, at present I am in Scranton (PA). Today, I was referring your site and reading various articles.
You are taking hudge pain and passion in formating the site and articals too. I am to return on 8th March 2010 for Rajkot. Since I will cheerfully will enjoy your site.
Tahnks.
With blessings and best wishes in this direction and voyage,
Ever your’s,
Bhalodia Sir.
khub j saras
Rekhaben aapano blog khub j sundar chhe.
maaro pan ek nanakado blog chhe.
samay male kyarek mulakat lo.
http://www.aagaman.wordpress.com
Mayur Prajapati
વર્સો સુધી અવરોધાયેલી તમારી પ્રતિભા નો દુનીયાને પરિચય-ફાયદો આપવાનો આજ સમય છે, શુભેચ્છાસહ…લાગ્યા રહો….
congretilations for wonderful blog.
jay shree krishna
રેખાબહેન,
તમને ઈ મેઈલ કર્યા પછી તમારા બ્લોગ પર નજર કરી ને મારા પ્રશ્ન નો જવાબ મળી ગયો!
સુન્દર બ્લોગ! અભીનન્દન. શાંતીથી કવિતાઓ વાચીશ અને જણાવીશ.
મહેન્દ્ર શાહ.
તમારો બ્લોગ ગમ્યો .મારો બ્લોગ પર આપનુ સ્વાગત છે
http://palji.wordpress.com
very nice….ek gruhini atlu badhu kare e j to ghanu chhe
રેખાબેન,
સાદર નમસ્કાર
ખુબ જ સરસ બ્લોગ બદલ અભિનંદન! અને મુખ્ય વાત એકે સૌથી વધુ તમારી કલમની પકડ ગધ પર છે, તમારી વાર્તા લખવાની શૈલી સરળ પણ તેની રજૂઆત સરસ રીતે એક વચન માં લખવાની કળા અને હથોટી થી લાગે જ નહીં કે આપ કોઈકવાર કયારેક જ લખતાં હશો. તમારી વાર્તાઓ મને ખુબ જ ગમી અભિનંદન !
-અને હા, તમે સામાજિક સંસ્થા સાથે જોડાયેલા છો અને તમારામાં નેતૃત્વ નો ગુણ હોય, તે જાણીને મને ઘણો જ આંનદ થયો, કેમકે આવું જ કંઈક હું પણ કરું છું તો આપ એકવાર મારા બ્લોગ પર આવીને નિહાળો તે માટે હાર્દિક આંમત્રણ છે.
http://pravinshrimali.wordpress.com
http://kalamprasadi.wordpress.com
રેખા બેન,
ખૂબ જ સરસ બ્લોગ બનાવ્યો છે. અમારી રબારી સમાજની વેબ સાઈટની મૂલાકાત બદલ આભાર…
જનક ટરમટા
http://www.vadwala.com
Rekhaji,
just i visited your blog. find intresting. you wants to die at america. donot think about death. just enjoy the life with writing, spirituality.
visit our web sites : http://www.shreenathjibhakti.org
http://www.zero2dot.org
and http://www.abhashahra.wordpress.com
and http://www.drsudhirshah.wordpress.com
visit our web blog and website , you will love it.
god bless you and your family,
Dr.Sudhir Shah
Rekhaben..Where are you ? I visited your Blog several times…read the Comments on your last Post “janmadin”…& waiting…..
And, waiting to see you on Chandrapukar too !
ChandravadanBhai
http://www.chandrapukar.wordpress.com
aapno blog me aaje j joyo…khub saras blog che..ane ema nilam didi na aashirvad ane ichcha hoy ane aaapni dhardar kalam hoy etle puchvu j shu…khub sundar rachnao che…
જન્મ વેરાવળ(સોમનાથના દ્વારે) 1956માં માર્ચની પહેલી તારીખે અને મૃત્યુ અમેરીકામાં થાય એવું ઈચ્છું છું કારણ કે આ ભૂમિ સાથે હવે વધારે માયા બંધાઈ ગઈ છે.
pahelaa to mrutyu ni vat karvi shu kam??
ane biju aa desh sathe ni maayaa aam muki dyo e n chale h ke??
માઈક્રોબાયોલોજીના સ્નાતક – ગણિત-વિજ્ઞાનના શિક્ષિકા – વૈજ્ઞાનિકના મદદનીશ – લેબોરેટરીમાં ટેકનિશીયન – ફૂલટાઈમ કૌટુંબિક જવાબદારીઓ – પતિને રીઝવવાની પ્રથા.. આ બધામાં આનંદ લઇ શકો છો.
પાછી, નેતાગીરી સ્વભાવ સાથે વણાયેલી છે; એમ તમને બધા કહે છે એટલે તમારે માનવું પડે છે. જો કે, ભાવપ્રદેશમાં હજુ આપને તે કેડી કંડારવાની બાકી છે – તેનો સ્વીકાર કરીને દંભનો આંચળો ઓઢી રાખવાનું આપને આવશ્યક નથી લાગતું,
અને તો ય, દિલમાં આશા છેઃ
સરસ્વતી માતા ક્યા સ્વરૂપે દર્શન દે અને જીવનવીણાના સૂર ફરી વહેતા થવા લાગે તે અકલ્પ્ય બીના છે.
Madam, it reminds me: દિલ હૈ છોટા સા, આસમાનોમેં ઉડનેકી આશા..( એ.આર.રહેમનાનું સંગીત – ફિલ્મનું નામ યાદ નથી, પણ કાશ્મીરના આતંકવાદ સાથે સંકળાયેલી સ્ટોરી)
આ ગીતની બીજી કડીઓ શી છે; તેની ખબર નથી. કૃપયા સંદર્ભ માત્ર બે કડીનો છે.
બ્લોગ શરૂ થયે વખત થયો. વધુ સફળતા અને લેખનનો આનંદ મળે એવી શુભેચ્છાઓ.
મારા જેવા નવા નિશાળીયા માટે બળ આપનારા છો.
U have suggested to visit your brother at Talala. While we are at Gir We stay at Bhalchhel village which is 28 km from Talala. Please advise name of your brother so that we can visit your brother’s vadi.
Respected Madam/Bahen jiii
I am very sorry to not follow Gujarati language here as i dont know how to write so pl exuce me , I am expressing my heartiest congratulations to you really you are doing excellent job here wonderful and really heart touching words i have read each and every post so nice to read all the post even i am father of two daughter i can understand closely
Pl keep it up i am from Rajkot Saurashtra Gujarat whenver you come Pl visit our house this is my open invitation to you
Dr Hitesh joshi
M B A Ph.D
hitraj29@yahoo.com
Rekhaji,
I write in English and Gujarati both, and I strongly feel this comment should have been typed in Gujarati script but lack of practice frustrates me. Your story jangled my nerves, it haunted me mercilessly, thanks to Sureshbhai (Jani) who sent me a link. You speak very authoratatively on behalf of a million other Gujarati mothers, or Indian mothers. A beautiful story straight from the heart that rings true. Please write more.
Regds
Max Babi
Pune, India
ગુજરાતી બ્લોગ-જગતમાં આપનું હાર્દિક સુસ્વાગતમ્ !!!
આ બ્લોગ માટે ખૂબ ખૂબ અભિનંદન…
આપનો ગુજરાતી બ્લોગ જોઈ ઘણોજ આનંદ થયો..
લખતા રહેજો અને આ માધ્યમથી મળતા રહેજો.
એવી અભિલાષા સહ… હાર્દિક શુભકામનાઓ !
દિવ્યેશ પટેલ
http://divyesh-patel.blogspot.com
http://divyeshsanghani.blogspot.com
http://dreams-of-world.blogspot.com
રેખાબેન..બ્લોગ-જગતમાં આપનું હાર્દિક સ્વાગત છે
શ્રી ગાયત્રી જ્ઞાન મંદિર – જેતપુર ના ગુજરાતી બ્લોગ-જગતમાં 200 પોસ્ટ અપડેટ કરી રહ્યો છું.
નેટ જગતનાં ગુજરાતી બ્લોગને “નેટ જગતનાં ગુજરાતી બ્લોગને “એક તાંતણે બાંધતી કડી” પ્રસિદ્ધ કરવામાં આવેલ છે.
Please visit my blog :…http://gaytrignanmandir.wordpress.com
We had a good meeting at our home with Neelamben.
You are welcome to our bloger’s world.
Hope to read your blog and learn.
Tulsidal
Hasyadarbar
http://www.yogaeast.net
http://www.bpaindia.org
ગુજરાતી બ્લોગ-જગતમાં આપનું હાર્દિક સ્વાગત છે રેખાબેન..!
આ બ્લોગ માટે ખૂબ ખૂબ અભિનંદન… અને આપના અનુભવનું પાન અમને નિયમિત મળતું રહેશે એવી અભિલાષા સહ… હાર્દિક શુભકામનાઓ !
Rekhaben…Possibly 1st time to your Blog….Read about you. Welcome to WEBJAGAT ! All the BEST WISHES ! I invite you to my Blog CHANDRAPUKAR & you can visit at>>>>
http://www.chandrapukar.wordpress.com Your VISIT & your COMMENT appreciated. Dr. Chandravadan Mistry.
આપનો ગુજરાતી બ્લોગ જોઈ , ઘણોજ આનંદ થયો..જ્યાં નીલમબેનનું માર્ગદર્શન હોય ત્યાં , સફળતા મળે એમાં કોઈ શંકાને સ્થાન નથી. બસ લખતા રહો, ગુજરાતી સાહિત્યને સમૃધ બનાવો, આપણી માતૃભાષા પરદેશમાં જીવંત રહે તેના પુરા પ્રયત્નો, એજ અભિલાષા.
ગુજરાતી નેટ જગતમાં આપનું સ્વાગત, રેખાબહેન! All the best! નીલમ બહેનની પ્રેરણા આપને જરૂરથી માર્ગ બતાવશે. સરસ. આપને અભિનંદન અને શુભેચ્છાઓ.
…. હરીશ દવે અ અમદાવાદ
gujarati blog jagat ma khub khub swaagat … !!
Respected Rekhaben, You write very little about yourself. Pl. give your thorough introduction.
Welcome
You have one article on http://www.gadyasarjan.wordpress.com
Please publish it here too!
રેખાબહેન
આપનું સ્વાગત