અચાનક

લીલુછમ વૃક્ષ

ખંખેરે વેદના

વળગેલા સૂકા પાનની

ઊડીને આવેલ

ભાવિનો સંકેત…..

 

This entry was posted in લઘુ કાવ્યો, સ્વરચિત કૃતિઓ. Bookmark the permalink.

10 Responses to અચાનક

  1. સુરેશ કહે છે:

    આજે છ વર્ષ પછી આ અગિયારી ફરી વાંચી અને એ ભાવો નવ પલ્લવિત બની ગયા.

  2. nilam doshi કહે છે:

    rekha..saras thai che..
    pan last 2 lines n hot to vadhare saru n lagat ?
    it will be more effective.. i guess so..
    of course its yr baby..and so yr right only..
    just i told what i feel..

  3. readsetu કહે છે:

    I m totally with Sureshbhai & Himanshubhai…
    nice one
    Lata

  4. vandana patel કહે છે:

    સરસ રચના … ખુબ જ મર્મજ્ઞ વાત આપે કહી…

  5. himanshupatel555 કહે છે:

    તમે પહેલો રિસ્પોન્સ આપી કૃતિને મર્યાદિત કરી નાખી.
    ઊડીને આવેલઃ આને બદલે ભમરડાઈ આવેલ અથવા અમળાઇ આવેલ જેવા ક્રિયાત્મક શબ્દો વધારે બળક્ટ બનત.સરજકે લાગણી કે વિચારોને કસવાના નથી મેટાફરને કસવાના છે,દા.ત.” બિલાડી દાબતે પગલે આવે”
    એને બદલે “બિલાડી ધુમ્મસ પગલે આવે”.કવિતા ચમત્કાર નથી આકાર ચ છે..

    • સુરેશ કહે છે:

      આને રૂપક અલંકાર કહેવાય.
      ઉપમા, ઉત્પ્રેક્ષા, રૂપક , અને અપહ્નુતિ…..ચઢતા ક્રમમાં કોઈ પણ ચીજના સાહિત્યિક શણગાર.
      .
      જો લયનો આગ્રહ ત્યજવામાં આવે તો, ગદ્યમાં પણ આ મજા સજાવી, માણી શકાય-

      અને પછી તો અસિમીત ક્ષિતીજો ..
      મારાં ‘અવલોકનો ‘ એ દિશાનો પ્રયત્ન છે.

    • himanshupatel555 કહે છે:

      બહોત ખુબ હિમાંશુભાઈ,
      તમારી વાત એકદમ જ સાચી છે. ખ્યાલમાં રાખીશ. યાદ શક્તિ મંદ થઈ ગઈ છે શબ્દો જલ્દી
      યાદ નથી આવતા પણ મગજને કસતી રહીશ. બસ આમ જ સહકાર આપતા રહેશો. આભાર શબ્દ ટૂંકો
      પડશે એટલે ટાળુ છુ.
      – રેખા

  6. તાત્પર્ય એ છે કે જે કુદરતી છે તેનાથી વિમુખ થઈ આપણે બીજાની વેદનાને સમજી શકતા નથી અને આર્થિક સંદર્ભમાં આપણી સ્થિતિ પણ લીલામાથી સૂકા થવાની આવી શકે તે ભૂલીને મનુષ્ય ગરીબોને તરછોડતો હોય છે ને?

    • સુરેશ કહે છે:

      બહેન
      કાલે ‘કૌન બનેગા કરોદપતિ’માં દેવા અને ખેતીની પાંગળી ઉપજના કારણે આપઘાત કરેલા ખેડૂતની વિધવા પત્નીને ૧૨.૫ લાખ રૂપિયા જીતતી જોઈ, ગરીબી અને જીવનની કરૂણતા કોને કહેવાય; તે અનુભવી હૃદય દ્રવી ગયું.
      અને હજુ તો એ બાઈ ખરેખર ગરીબ ન કહેવાય. એને ખેતર અને રહેવા ઘર છે.

      ગરીબોના બેલીની આ વાત વાંચજો – બને તો એ પુસ્તક મંગાવી વાંચજો….

      બાંગલાદેશના ગાંધી – શ્રી. મોહમ્મદ યુનુસ

      આ મુસ્લીમ માણસ કહેવાતા સંતો અને ભગતો કરતાં પહાડ જેટ્લો ઊંચો

  7. સુરેશ કહે છે:

    પીપેળ પાન ખરંતાં…
    —————–
    તમે તો તેનાથીય બહુ જ દૂરનો સંદેશો પકડી લીધો!

    પણ મૃત્યુ એટલું જ કુદરતી છે; જેટલું જીવન.

    ધ્યાનની એક રીત છે – આપણે શબ બની ગયા છીએ, અને દૂર દૂર નિહારિકાઓની વચ્ચે પહોંચી ગયા છીએ, એમ કલ્પવું,
    હવે પ્રતિ અગિયારી બનાવીશ- દીકરાને નિશાળે મૂકી આવ્યા બાદ!

Leave a reply to himanshupatel555 જવાબ રદ કરો

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.