આ સુમસામ અંધારી રાતે
તારી પ્રતિક્ષા કરતાં
મારી આંગળીઓના ટેરવાં
લેમ્પની સ્વીચ ઓન ઓફ કરતાં
સ્વ ચેતનાને જગાડવા મથે છે
તે સમયે અચાનક
ઊંઘ કે ઉજાગરામાં સરી પડું
તે પહેલાં જ બલ્બ ઊડી ગયો.
વીજળીનો વાયર અને સ્વીચ
હજુ મારા હાથમાં જ રમે છે
પરંતુ હવે ચેતના પ્રાપ્તિ
તારા આગમન વગર શક્ય નથી
અથવા એમ કહું કે
બલ્બ બદલવા માટે પણ
હવે મારે તારી જરૂર છે.
પરંતુ હવે ચેતના પ્રાપ્તિ
તારા આગમન વગર શક્ય નથી
Sundar Vichar !
DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
http://www.chandrapukar.wordpress.com
Rekhaben….Hope to see you on Chandrapukar !….Thanks for your visits/comments in 2010 & hope to see you often in 2011.
પ્રતિક્ષા એ જાગૃતિ છે સંવેદના નથી, પણ એ જાગૃતિ જ્યારે સંવેદના બનવા કાર્યરત બને છે ત્યારે એ કેવળ પ્રતિક્ષા થઈ જાય છે,કવિતા અનુભૂતિનો ‘વ્યાપાર’ છે..
આ પ્રતીક્ષા એટલે ચાંપ/વીજળી અને ઝગમગવા વચ્ચેની સ્વ-જાગૃતીનું કાવ્ય…..